Friday, December 14, 2012

ઉત્તરાયણ - દાનનું પર્વ..

ઉત્તરાયણતેનું પર્વ બહુ મહત્વનું છે. તે મંગલમય ગણાય છે. કહેવાય છે કે ઈચ્છામૃત્યુને વરેલા ભીષ્મપિતામહે બાણશૈયા પર પોતાનું મૃત્યુ ઉત્તરાયણના આગમનની રાહ જોવા ચોપ્પન દિવસ સુધી અટકાવી રાખ્યું હતું.
મકર સંક્રાંતિ પહેલાનો એક મહિનો ધનુર્માસ તરીકે ઓળખાય છે. આજે પ્રભુને ખીચડોધરાવવામાં આવે છે.


ઉત્તરાયણમાં કુંભદાનકરવામાં આવે છે. તેમાં તલસાંકળી[તલની ચીકી], બોર, સોપારી, મગ, ચોખા મુકવામાં આવે છે.

અન્નદાનનો મહિમા પણ છે. સહીયારૂ અભિયાન બારેમાસ અન્નદાનનું પર્વ ઉજવે છે. ત્યારે ઉત્તરાયણ નિમિત્તે અન્નદાન કરવા માટે સદગૃહસ્થો તરફથી સહીયારૂ અભિયાનને પૂછપરછ કરવામાં આવે છે. તે અંગે સ્પષ્ટતા કરવાની કે, ઉત્તરાયણ નિમિત્તે જે કોઇ સહીયારૂ અભિયાનના સહયોગી બનવા ઇચ્છતા હોય તો સહીયારૂ અભિયાન તેઓને આવકારે છે. નિઃસંકોચ સહીયારૂ અભિયાન મારફત આપ દાન કરી શકો છો.

આગામી જાન્યુઆરી માસના બીજા રવીવારે, તારીખઃ૧૩-૦૧-૨૦૧૩ ના રોજ એટલે કે, ઉત્તરાયણના તહેવારની પહેલાં લાભાર્થીઓને નિયમિત રીતે અપાતી કીટ ઉપરાંત તલ-ગોળનું વિતરણ કરવાનું આયોજન સહીયારુ અભિયાને કરેલ છે.

No comments:

Post a Comment