Friday, December 26, 2014

ઉત્તરાયણના પર્વ નિમિત્તે.....

ઉત્તરાયણતેનું પર્વ બહુ મહત્વનું છે. તે મંગલમય ગણાય છે. કહેવાય છે કે ઈચ્છામૃત્યુને વરેલા ભીષ્મપિતામહે બાણશૈયા પર પોતાનું મૃત્યુ ઉત્તરાયણના આગમનની રાહ જોવા ચોપ્પન દિવસ સુધી અટકાવી રાખ્યું હતું.
મકર સંક્રાંતિ પહેલાનો એક મહિનો ધનુર્માસ તરીકે ઓળખાય છે. આજે પ્રભુને ખીચડો’ ધરાવવામાં આવે છે.

ઉત્તરાયણમાં કુંભદાન’ કરવામાં આવે છે. તેમાં તલસાંકળી[તલની ચીકી]બોરસોપારીમગચોખા મુકવામાં આવે છે.
અન્નદાનનો મહિમા પણ છે. સહીયારૂ અભિયાન બારેમાસ અન્નદાનનું પર્વ ઉજવે છે. ત્યારે ઉત્તરાયણ નિમિત્તે અન્નદાન કરવા માટે સદગૃહસ્થો તરફથી સહીયારૂ અભિયાનને પૂછપરછ કરવામાં આવે છે. તે અંગે સ્પષ્ટતા કરવાની કેઉત્તરાયણ નિમિત્તે જે કોઇ સહીયારૂ અભિયાનના સહયોગી બનવા ઇચ્છતા હોય તો સહીયારૂ અભિયાન તેઓને આવકારે છે. નિઃસંકોચ સહીયારૂ અભિયાન મારફત આપ દાન કરી શકો છો.

આગામી જાન્યુઆરી માસના બીજા રવીવારેતારીખઃ૧૧-૦૧-૨૦૧૫ ના રોજ એટલે કેઉત્તરાયણના અગાઉના દિવસોમાં લાભાર્થીઓને નિયમિત રીતે અપાતી કીટ ઉપરાંત તલ-ગોળનું વિતરણ કરવાનું આયોજન સહીયારુ અભિયાને કરેલ છે.

સહીયારૂ અભિયાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે લોહાણા સમાજના શ્રેષ્ઠીઓ પૈકીના શ્રી પૂર્વીનભાઇ રણછોડભાઇ ઠક્કરે ડીસેમ્બર ૨૦૧૪ માં સહાય પૂરી પાડેલ છે. જે બદલ સંસ્થા શ્રી પૂર્વીનભાઇનો આભાર માને છે.