Friday, November 17, 2017

75 માં વર્ષમાં પ્રવેશ- ચેરમેનશ્રીને શુભેચ્છાઓ...


સહિયારૂ અભિયાનના ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ (બિરલા) લોહાણા જ્ઞાતિના શ્રેષ્ઠી અને ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તા.૧૮-૧૧-૨૦૧૭ ના રોજ ૭૪ વર્ષ પૂરા કરીને ૭૫ મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ જન્મદિને, હૃદયથી શુભેચ્છાઓ. 


સહિયારૂ અભિયાન તરફથી શ્રી ઘનશ્યામભાઇ (બિરલા) ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.. સંસ્થાના ચેરમેનશ્રીના નાતે સંસ્થાને તેઓશ્રી તરફથી હંમેશા માર્ગદર્શન મળતું રહ્યું છે. સહિયારૂ અભિયાનની સંસ્થા મૂળભુત રીતે અમેરીકામાં વસતા જ્ઞાતિજનો દ્વારા શરૂ કરવામાં આવેલ. કાળક્રમે, દેશના જ શ્રેષ્ઠીઓ તરફથી આ સંસ્થા અનેક લાભાર્થીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. સહિયારૂ અભિયાન અનાજની કીટ ઉપરાંત અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે, દાક્તરી સહાય, શૈક્ષણિક સહાય, વૃધ્ધાશ્રમોમાં સહાય પૂરી પાડવી, હોસ્પિટલોમાં દર્દીઓને સહાય વગેરે ચાલે છે. આવી સેવાઓમાં સંસથાને હંમેશા શ્રી ઘનશ્યામભાઇ જેવા પીઢ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તરફથી બધા પ્રકારની સેવા અને માર્ગદર્શન મળતું રહેતું હોવાથી સહિયારૂ અભિયાન ‘‘જનસેવા તે જ પ્રભુ સેવા’’ નો મંત્ર સાકાર કરી રહેલ છે.

ચેરમેનશ્રીને ૭૫ મા વર્ષમાં પ્રવેશવાના પ્રસંગે સંસ્થા શુભેચ્છાઓ પાઠવે છે. તથા તેઓશ્રીને પ્રભુ સર્વ રીતે શક્તિમાન બનાવે જેથી અનેક સામાજિક સંસ્થાઓને અને સમાજને આ દીર્ઘદૃષ્ટાનો લાભ મળતો રહે.

ચેરમેનશ્રીને શુભેચ્છાઓ પાઠવવા ચેરમેનશ્રીના ફેસબુક પેજની મુલાકાત ક્લીક કરવાથીલઇ શકશો.