Tuesday, December 19, 2017

🌷 *सहीयारु अभियान* - जैसा कि आप जानते हैं -
🙏सामाजिक सेवा में कार्यरत है..और खास करके *हर महीने जरूरतमंद लोगों को अनाज/ किराने की कीट का वितरण* कीया जाता है.
🌷 उपरांत
📚 *शैक्षणिक, और
💊 मेडिकल सर्विसीस*
भी *सहीयारु अभियान* द्वारा उपलब्ध कराई जाती है

Saturday, December 9, 2017

Image may contain: 2 people


ડિસેમ્બર ૨૦૧૭ નો સહયોગ...
શ્રી પૂર્વીનભાઇનો જન્મ દિવસ ૭ મી ડીસેમ્બ્બર છે. જન્મદિવસ ઉજવવાની બધાની પોત-પોતાની રીત અને પસંદગી હોય છે. સાહસિક આ રઘુવંશી માટે એટલા માટે માન થાય કે,  પૂર્વીનભાઇએ સ્થાપેલ અને વિકસાવેલ વ્યવસાય તેમની આગવી સૂઝ અને ખંતથી વિકસાવેલ છે. કોઇ પૈતૃક ગાદી ઉપર તેઓ બેઠા નથી. નવા ક્ષેત્રો અત્યંત મહેનત કરીને તેમણે સર કરેલા છે. અલબત્ત, સરળતા-સહૃદયતા અને આડંબરનો સદંતર અભાવ જેવા કર્મજ્ઞાનના નક્કર પૈતૃક ગુણો તો પૂર્વીનભાઇને ભક્તિથી સભર તેમના પિતાશ્રી તરફથી મળેલા છે. 

અગાઉના વર્ષોની પરંપરા જાળવવાની સાથે શ્રી પૂર્વીનભાઇ તરફથી ૫૧ વર્ષ થવા નિમિત્તે સહીયારૂ અભિયાનને કીટ વિતરણમાં સિંહફાળા સમાન સહયોગ ડિસેમ્બર ૨૦૧૭ માટે મળેલ છે. સંસ્થા પૂર્વીનભાઇનો આભાર માને છે..
પૂર્વીનભાઇને તેમના જન્મદિવસ નિમિત્તે અમારી સહીયારૂ અભિયાનની ટીમ પ્રગતિમય જીવન અને વધુ સારા આરોગ્યની શુભેચ્છા પાઠવે છે. શ્રી પૂર્વીનભાઇ હવે સહીયારૂ અભિયાનના ટ્રસ્ટીગણમાં સમાવિષ્ટ છે.
દર માસે કિટમાં સામેલ કરવામાં આવતી રૂટીન સામગ્રી ઉપરાં આ માસની કિટમાં દાતાઓના સહયોગથી મમરા, પૌંઆ, ગોળ, ન્હાવાના અને કપડાં ધોવાના સાબુ ઉમેરવામાં આવ્યા છે.


Friday, November 17, 2017

75 માં વર્ષમાં પ્રવેશ- ચેરમેનશ્રીને શુભેચ્છાઓ...


સહિયારૂ અભિયાનના ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ (બિરલા) લોહાણા જ્ઞાતિના શ્રેષ્ઠી અને ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તા.૧૮-૧૧-૨૦૧૭ ના રોજ ૭૪ વર્ષ પૂરા કરીને ૭૫ મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ જન્મદિને, હૃદયથી શુભેચ્છાઓ. 


સહિયારૂ અભિયાન તરફથી શ્રી ઘનશ્યામભાઇ (બિરલા) ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.. સંસ્થાના ચેરમેનશ્રીના નાતે સંસ્થાને તેઓશ્રી તરફથી હંમેશા માર્ગદર્શન મળતું રહ્યું છે. સહિયારૂ અભિયાનની સંસ્થા મૂળભુત રીતે અમેરીકામાં વસતા જ્ઞાતિજનો દ્વારા શરૂ કરવામાં આવેલ. કાળક્રમે, દેશના જ શ્રેષ્ઠીઓ તરફથી આ સંસ્થા અનેક લાભાર્થીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. સહિયારૂ અભિયાન અનાજની કીટ ઉપરાંત અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે, દાક્તરી સહાય, શૈક્ષણિક સહાય, વૃધ્ધાશ્રમોમાં સહાય પૂરી પાડવી, હોસ્પિટલોમાં દર્દીઓને સહાય વગેરે ચાલે છે. આવી સેવાઓમાં સંસથાને હંમેશા શ્રી ઘનશ્યામભાઇ જેવા પીઢ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તરફથી બધા પ્રકારની સેવા અને માર્ગદર્શન મળતું રહેતું હોવાથી સહિયારૂ અભિયાન ‘‘જનસેવા તે જ પ્રભુ સેવા’’ નો મંત્ર સાકાર કરી રહેલ છે.

ચેરમેનશ્રીને ૭૫ મા વર્ષમાં પ્રવેશવાના પ્રસંગે સંસ્થા શુભેચ્છાઓ પાઠવે છે. તથા તેઓશ્રીને પ્રભુ સર્વ રીતે શક્તિમાન બનાવે જેથી અનેક સામાજિક સંસ્થાઓને અને સમાજને આ દીર્ઘદૃષ્ટાનો લાભ મળતો રહે.

ચેરમેનશ્રીને શુભેચ્છાઓ પાઠવવા ચેરમેનશ્રીના ફેસબુક પેજની મુલાકાત ક્લીક કરવાથીલઇ શકશો.  
 

Wednesday, October 11, 2017

દિવાળીની મુબારકબાદી...

દિવાળી એટલે ભેટ-સોગાદો અને શુભેચ્છાઓનો તહેવાર..

સહીયારૂ અભિયાનની ડીજીટલ સ્વરૂપે મુલાકાત લેનારા સર્વેને એડવાન્સમાં દિવાળીની શુભેચ્છાઓ.. 

જલારામબાપા સાથે જે જ્ઞાતિ જોડવામાં આવે છે, જેના જીન્સમાં જ દયા-માયા-કરૂણા-કરી છૂટવાની ભાવના હોય એવી આ જ્ઞાતિએ સહિયારૂ અભિયાનને સાચા અર્થમાં સહીયારૂ બનાવી દીધુ છે.. 

દર માસે ઉમદા હેતુ માટે સાચા હૃદયથી આગળ આવતા ઉદાર સખાવતીઓ કે જેઓ નક્કર સહાયો પૂરી પાડીને સાચા અર્થમાં સહીયારૂ અભિયાન ચલાવે છે. બાકીનું કામ તો એક રૂટીનની જેમ આપો-આપ ઇશ્વરકૃપાથી જ ચાલે છે.

સાચા અર્થમાં નક્કર સ્વરૂપે કામ કરનારા અલબત્ત સેવકો છે. આમ છતાં,  
સંસ્થામાં કોઇ વ્યક્તિવિશેષ નથી – સહીયારૂ અભિયાનના પાયાના સ્વીકૃત આ ધારા-ધોરણની જાળવણી થવા છતાં, ઉદાર સખાવતીઓ કોઇ વ્યક્તિ(ઓ)ને લીધે નહીં, પણ સંસ્થાના આ આદર્શને લઇને તેમનો સહયોગ આપે છે.

ચાલુ માસે ઓક્ટોબર માસમાં મળેલ સહયોગની વિગતોઃ-

(૧) શ્રી જશવંતલાલ કેશવલાલ ઠક્કર (બાકરોલવાળા)
- ઓક્ટોબર માસના કીટ વિતરણના મુખ્ય દાતા.

(ર) સુ
શ્રી મીનાબેન પી. ઠક્કર (આખ્યાનકાર-ભજનિક) – દિવાળી નિમિત્તે મીઠાઇ તથા નમકીન માટે આર્થિક સહયોગ

(૩) 
શ્રી હીરાલાલ ગોપાળદાસ ઠક્કર (દવાવાળા) હસ્તે અજયભાઇ બેંકર - દિવાળી નિમિત્તે આર્થિક સહયોગ.

(૪) 
શ્રી ડહ્યાલાલ ચુનીલાલ ઠક્કર, (દેવાવાળ) – દિવાળી નિમિત્તે કીટમાં મઠીયાનો સહયોગ.

(૫)    શ્રી જીતુભાઇ મંગળદાસ ઠક્કર (કુહાવાળા) તરફથી છેલ્લા ત્રણ માસથી નિયમિત સ્વરૂપે કીટમાં ઉમેરવા માટે મમરા-પૌંઆ, ગોળ, શેમ્પુ નો સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

(૬)    મે. 
વનરાજ સોપ તરફથી છેલ્લા ત્રણ માસથી નિયમિત સ્વરૂપે કીટમાં ઉમેરવા માટે ન્હાવા-ધોવાના સાબુનો સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.


(૭) શ્રી રસીકલાલ લાલજીભાઇ વિઠ્ઠલદાસ ઠક્કર (ટેમ્કો) તરફથી ચાલુ માસની કીટ સાથે લાભાર્થીઓને સેલોની ડોલ (૧૬ લીટર) અર્પણ કરવામાં આવનાર છે.

ઉદાર સખાવતીઓનો આભાર...

Friday, September 8, 2017

સપ્ટેમ્બર માસનો સહયોગ

સહીયારૂ અભિયાનને  લોહાણા જ્ઞાતિના અનેક ઉદાર સખાવતીઓ દ્વારા સહાયનો સતત સ્ત્રોત પ્રાપ્ત થયા કરે છે. 


દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખશ્રીના કુટુંબ તરફથી ચાલુ માસે સહાય પ્રાપ્ત થવા બદલ આભાર માનવામાં આવે છે.


શ્રી પ્રફુલ્લભાઇ રમણલાલ ઠક્કર તરફથી માસના કીટ વિતરણ પેટે આર્થિક સહાય મળી છેતેમના કુટુંબના મોક્ષાર્થી () સ્વ. જમનાબેન ફુલચંદભાઇ ઠક્કર () સ્વ.રતીલાલ ફુલચંદભાઇ ઠક્કર, અને () સ્વ.સુશીલાબેન રમણલાલ ઠક્કર ના સ્મરણાર્થે શ્રી પ્રફુલ્લાભાઇ તરફથી સહયોગ મળેલ છે

Saturday, March 11, 2017

પ્રભુ કૃપા હી કેવલમ...

‘‘જે આપે છે, તે જ પામે છે..’’

     આ એક વાર્તા છે. SAHIYARU ABHIYAN ઉપર જ છે.. આ વાર્તાનો સાર છે કે, આપણે જે આપીએ છીએ તે જ પામીએ છીએ. આ વાર્તા વાંચવા જેવી છે.. મીનાબેન પી. ઠક્કર (ભજનિક, આખ્યાનકાર) તેમના સત્સંગમાં આ વાર્તા ક્યારેક ક્યારેક કહે છે. આ વાર્તા વાંચવા નીચે વાર્તાના ટાઇટલ ઉપર ક્લીક કરો. નવા ટેબમાં તે ખુલશે.
     સૌ પ્રથમ પશ્ચિમના જગતને કર્મનો કાયદો તર્ક અને બુધ્ધિગમ્ય રીતથી કોઇએ અંગ્રેજી ભાષામાં સમજાવ્યો હોય તો, (મારી જાણકારી મુજબ ) તો સૌપ્રથમ એની બેસન્ટે તે સમજાવ્યો. પશ્ચિમની અને ખાસ કરીને ક્રિશ્ચિયન ધર્મ પાળનારી પ્રજા પુનર્જન્મને માનતી નથી. માટે જ એ પ્રજા એમ માને છે કે, આ જન્મે કરેલા ખરાબ કર્મો આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં પણ ભોગવવા પડે છે, એવી હિંદુત્વની વાતો જુઠ્ઠી છે. માટે જ એ પ્રજા આ જન્મે જેમ ફાવે તેમ જીવે છે અને જીવન માત્ર આ એક જ જન્મ પુરતું મર્યાદીત સમજે છે. તેથી પશ્ચિમના જગતની ખાસ કરીને ગોરી પ્રજા Eat, drink and make marry ની થીયરી પર જીવે છે. એની બેસન્ટ ઇંગ્લેન્ડના હોવા છતાં ભારતીય ફીલોસોફીથી અત્યંત પ્રભાવિત રહેલા અને તમણે ભારતમાં બહુ રસ લીધો. એની બેસન્ટ એટલે થીયોસોફીકલ સોસાયટી. ભારતમાં ચાલતા English Rule દરમિયાન હોમરૂલની ચળવળમાં સક્રીય એટલે એની બેસન્ટ. ચળવળવાળા.    
     એની બેસન્ટે તેમના ધર્મ અને ગર્ભના સંસ્કારથી વિપરીતે જઇને કર્મની વાત કરેલી છે, તે અત્યંત મહત્વની બાબત છે. કર્મના કાયદાને કોઇ ભારતીય સમજાવી શકે તેના કરતાં પણ સારી રીતે એની બેસન્ટે તેમના પુસ્તક A STUDY IN KARMA માં સમજાવવામાં આવેલ છે. તે પુસ્તકમાં એની બેસન્ટે સમજાવ્યુ છે કે, કરેલા કર્મનું ફળ તો આવે જ. કર્મનો કાયદો અ-ફર છે. કર્મનો કાયદો scientifically કામ કરે છે. આ બધાની બારીક અને વિસ્તૃત, સમજ આપી છે. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં લખાયેલું છે. 
     વર્ષ ૧૯૧૭ માં બહાર પડેલી A STUDY IN KARMA ની બીજી આવૃત્તિ (Edition) ના પ્રથમ પાના ઉપર નીચે મુજબ છે. ( આ પુસ્તકની ઇ બુક વાંચવા ઇચ્છતા હોય તેમને પુરી પાડવામાં આવશે.)  
A Study in Karma by Annie Besant

A Study in Karma
by Annie Besant
Second Edition, 1917
(From The Light of Asia by Sir Edwin Arnold)
It knows not wrath nor pardon; utter true
Its measures mete, its faultless balance weighs;
Times are as nought, tomorrow it will judge,
Or after many days.
By this the slayer’s knife did stab himself;
The unjust judge hath lost his own defender;
The false tongue dooms its lie; the creeping thief
And spoiler rob, to render.
Such is the Law which moves to righteousness,
Which none at last can turn aside or stay;
The heart of it is Love, the end of it
Is Peace and Consummation sweet. Obey!
ઋષિલ ડેકોરવાળા éશ્રીકૃપેશભાઇ

     આ પુસ્તક કર્મના કાયદાની વાત કરે છે. આપણે બધા ‘‘કર્મનો સિધ્ધાંત’’ શ્રી હીરાભાઇ ઠક્કરે લખેલા પુસ્તક વિષે જાણીએ છીએ. ‘‘કર્મનો સિધ્ધાંત’’ નામનું આ પુસ્તક શ્રી હિરાભાઇ ઠક્કરે A STUDY IN KARMA ઉપરથી લખેલું છે. 
      
ખૂન કર્યુ હોવા ન છતાં એક વ્યક્તિને પુરાવાના આધારે જજ દ્વારા સજા આપવામાં આવે  છે. જ્યારે બીજી બાજુ એ જજ જાણતા હોય છે કે
, હકીકતમાં ખૂન બીજી કોઇ વ્યક્તિએ કરેલું હોય છે. પણ જજનું કાર્ય પુરાવાના આધારે ચુકાદો આપવાનું હોય છે. જેણે ખૂન કર્યુ હતું તે આરોપી તરીકે રજૂ કરવામાં આવેલો ન હતો. અને આરોપી તરીકે રજૂ કરવામાં આવેલ વ્યક્તિની વિરૂધ્ધમાં બધા પુરાવાઓ હતા. તેથી સજા આપવી પડી. જજ પેલી વ્યક્તિને પૂછે છે કે, તને સજા થઇ પણ ખરેખર તેં ખૂન કર્યુ હતુ ખરૂ ? પેલો સજા પામેલો વ્યક્તિ ત્યાં સુધી મનોમંથન કરી ચૂક્યો હોય છે. અને જજને જવાબ આપે છે કે, મેં ખરેખર ખૂન કર્યુ ન હતુ. પણ અગાઉ ખૂન કર્યુ હતુ ત્યારે હું ચાલાકીથી છટકી ગયો હતો. મને તે ખૂનની સજા મળી છે, એમ માનુ છુ.

      એની બેસન્ટના પુસ્તકમાં પ્રથમ પાના ઉપર જ આ વાત રજૂ થયેલી છે.
કર્મનો કાયદો કામ કરે જ છે. વિશ્વના બધા ધર્મો અને પ્રજા પૈકી ભારન અને હિંદુ ધર્મ આ વાત સારી રીતે જાણે છે - સ્વીકારે છે. લોકોના દિલો દિમાગમાં - બલ્કે બ્લડમાં આ વા ઉતરી ગયેલી હોય છે. પરિણામે, આજે તમે વૈષ્ણોદેવી માતાના દર્શને જાવ કે, અમરનાથ બાબાના દર્શને જાવ કે ડાકોર પગે ચાલતા જાવ... ત્યાં યાત્રાળુઓની સેવા કરવાવાળા ઢગલાબંધ કેમ્પ જોવા મળે છે. બસ, બધાના હૃદયમાં એક સેવાનો જુવાળ જાગે છે. બધાને એક સાથે આવો વિચાર આવે અને ગુપ્તપણે ફેલાઇ જાય.. ટોળાના ટોળા એમાં સેવા કરવા ઉતરી પડે. આ કંઇ માત્ર ઘેટા જેવી ટોળાશાહી નથી. બસ, લોકોના મગજમાં આવા વિચારો ઉઠે છે.. સેવાની ભાવના વહેવા માંડે છે. એવું કરેલું અર્થઘટન કે, આ બધા ટોળે ટોળા દેખા-દેખીથી આવે છે. પરંતુ આવી સેવા કરવાવાળા કંઇ બુધ્ધિ વગરના નથી હોતા. સેવા કરનારા ભણેલા ગણેલા હોય છે. તેમના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવેલી હોય તેવા હોય છે.
       આ સેવાની ભાવનાને કારણે કેટલાય ગરીબો પગપાળા યાત્રા કરે છે તે શ્રધ્ધા સાથે કરે છે. બની શકે કે
, કોઇ લોકો માત્ર ખાવા-અને જલસા કરવા જાય. પણ એ તો એક વ્યવસ્થાનો દુરૂપયોગ કહેવાય.. એ દુરૂપયોગ જ સમસ્ત બાબત હોતી નથી. સ્કુલમાંથી છોકરા ગુલ્લી મારી વ્યસન કરે તો સ્કુલ બંધ ના કરી દેવાય. તે એક પાસુ છે કે, છોકરાઓ - વિદ્યાર્થીઓ શાળાના સમયનો દુરૂપયોગ કરે છે. આવી ઉદ્દાત્ત સેવા તો ભારતમાં જ જોવા મળે. આપણું જલારામ બાપાનું સચોટ ઉદાહરણ છે. સહીયારુ અભિયાનને લોહાણાઓ સારૂ દાન આપે છે.. સહીયારૂ અભિયાન તેનો બોલતો પુરાવો છે. thread માં બધી પોસ્ટ જોતાં તે વાતી પ્રતિતિ થયા વગર નહીં રહે. સેવાની ભાવના લોકોના હૃદયદ્વારે ઉઠતી જ રહે છે. ઇશ્વર તેમના હૃદય દ્વારે દસ્તક દેતો જ રહે છે.  

     સહીયારૂ અભિયાનના સંદર્ભમાં, તાજેતરમાં મળેલી આર્થિક સહાય એક લોહાણા કુટુંબ તરફથી મળી છે. શ્રી અંબાલાલ ડાહ્યાભાઇ રિદ્રોલવાળા પરીવાર - શ્રી ઘનશ્યામભાઇ ઋષિલ ડેકોરવાળા - કૃપેશભાઇ ઋષિલ ડેકોરને જેટ સ્પીડે આગળ વધારનારા ( તેમના ધર્મપત્ની કૃપાબેન) આ દંપતિના પુત્ર શ્રી ઋષિલભાઇ  -  લોહાણા સમાજના ગૌરવસમા ઉદ્યોગપતિ કુટુંબ તરફથી સહીયારૂ અભિયાનને વખતો વખત ઉદાર સહાય મળતી રહે છે.  સહીયારૂ અભિયાન માટે શ્રી ઘનશ્યામભાઇ તરફથી તેમનો કિંમતી સમય પણ ફાજલ કરવામાં આવે છે. તેમના તરફથી સહીયારૂ અભિયાનને સારુ એવું માર્ગદર્શન પણ મળતું રહે છે.
 

Wednesday, March 1, 2017

દરીદ્રોને નારાયણનો દરજ્જો..

     હરીનામનું નાણું લૂંટી લેવા મનમાં પ્રભુ માટેનો કોઇક ભાવ ધારણ કરીને ભગવાનના નામની લૂંટ ચલાવવી તે ભક્તિ છે.  

     ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ આ બધા રસ્તા ઇશ્વર તરફ દોરી જતાં રસ્તાઓ છે. જન સેવા એક કર્મયોગ છે. ‘‘દરીદ્રનારાયણ’’ એટલે, દરીદ્રોને નારાયણ એટલે કે, ઇશ્વરનો દરજ્જો તો હિંદુ સંસ્કુતિ જ આપી શકે. આવો શબ્દ કોઇ ધર્મ કે દેશમાં ઉદભવેલો જોવામાં આવ્યો નથી. કેટલાક ધર્મના સમર્થકો જે તે ધર્મને ફેલાવવા પૃથ્વીને ખુંદી વળ્યા હોય તેવું જોવામાં આવ્યું છે. હિંદુ ધર્મ વિષે એવું નથી. કારણ કે, ધર્મનો પાયો જ દયા અને કરૂણા છે. દયા અને કરૂણા હૃદયમાં પ્રગટે. એની કોઇ ચોક્કસ રીત-રસમો એ ધર્મ નથી. હિંદુ ધર્મએ તો, ટીલા-ટપકાને બદલે નિરાકાર ઇશ્વરનો પણ મહીમા ગાયેલો છે.

     ગરીબોને આકર્ષીને ધર્મના ફેલાવા માટે તેમનો ઉપયોગ કરવાનું હિંદુ ધર્મમાં બને જ નહીં. ‘‘તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો’’ આવું શિક્ષણ આપનારી માતા હિંદુ જ હોય. આ શિક્ષણ શ્રીમતી ભુવનેશ્વરી દેવીએ તેમના સપુત્રને આપ્યું હતુ. આ શિક્ષણથી એક સાચા સંત સ્વામી વિવેકાનંદનો જન્મ શક્ય બન્યો. દરીદ્રનારાયણ શબ્દ હિંદુ સંસ્કૃતિની દેણ છે.

   
     પશ્ચિમમાં
વ્યાપેલા ધર્મનો ફેલાવો કરવાના પ્રયાસો થયા. ધર્મના ફેલાવા માટે પૃથ્વીને ખુંદી કાઢવામાં આવી. જ્યાં જ્યાં ગરીબો હોય તેવા પછાત વર્ગોને ધર્મ તરફ આકર્ષવામાં આવ્યા. અલબત્ત અ-બુધ લોકો ધર્મ તરફ વળ્યા અને પહેલાં કરતાં સારૂ જીવન જીવવા માંડ્યા. પરંતુ એક રીતે તો ધર્મનો ફેલાવો કરવા એવા અબુધ અને ગરીબોનો તો ઉપયોગ જ થયો. હિંદુ ધર્મની જેમ દરીદ્રોને નારાયણ એટલે કે, ભગવાન ગણવામાં ન આવ્યા. તેને બદલે, તરછોડાયેલા, ત્યજાયેલા, વેઠીયા વગેરે શબ્દો વાપરીને તેઓને ધર્મ તરફ દોરવામાં આવ્યા. હિંદુ ધર્મમાં પોતાના તેમજ બીજાના પણ આત્મસન્માનની રક્ષા કરવાની વિચારધારા પ્રવર્તે છે. હિંદુ  સંસ્કારે કદી પણ સહાય લેનારાને ઉતરતી કક્ષાના અને સહાય કરનારાઓને પ્રમાણમાં ચઢિયાતા ગણ્યા નથી. દરીદ્રનારાયણોની સેવા કરીને પોતાને માટે અહમ્ ભાવ અનુભવવાને બદલે નમ્રતા ધારણ કરીને દરીદ્રનારાયણોને સચા હૃદયથી વંદન કરીને નમ્રતા ધારણ કરનારા ઘણાં છે. આપણાં દેશમાં આવા ઉમદા હેતુ માટે દાનની સરવાણી વહાવનારાઓ બેસુમાર છે. તેનાથી સેવાકીય કાર્યો થઇ શકે. એ સેવાકીય કાર્યો કોઇ એકાદ વ્યક્તિ કે અમુક જ સમૂહની ન હોઇ શકે. તે તો સર્વનું અને સર્વ માટે હોઇ શકે એવી ઉદાર અને ઉદ્દાત ભાવનાઓ એટલે જ હિંદુ અને હિંદુસ્તાન.

    સહિયારૂ અભિયાન માત્ર એક સંકલનકાર જ. સહિયારૂ અભિયાન તો સહાય કરનારા અને સહાય લેનારા બેને ભેગા કરવા પુરતુ અત્યંત મર્યાદિત કાર્ય. બાકી તો, ચાલતી આ પ્રવૃત્તિ ભારત/હિંદુના સંસ્કારવાળા ઉદાર સહાય કરનારા સાચા દાતાઓથી પ્રવૃ્ત્તિ ચાલે..અને લાભાર્થીઓથી ચાલે.

      ફે્બ્રુઆરી ૨૦૧૭ માસના કીટ વિતરણમાં સિંહફાળો અર્પણ કરતાં શ્રી હર્ષદભાઇ જી.ઠક્કર-રમીલાબેન (ચરાડાવાળા) ના કુટુંબ તરફથી ઉદાર સહયોગ પ્રાપ્ત થયેલ છે. મેડીકલ સહાય માટે પણ ઉદાર રકમો અર્પણ કરેલ છે. તદનુસાર આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.
આ કુટુંબ સહીયારૂ અભિયાનનું જ એક અંગ હોઇસહિયારૂ અભિયાન’’ સાથે સક્રીય રીતે જકાડાયેલ હોઇ, આભાર માનવાની ઔપચારીકતા ટાળવામાં આવે છે.

      સહીયારૂ અભિયાનના મહત્વના અંગ એવા શ્રી અરવિંદભાઇ રામજીભાઇ ઠક્કર (વિંઝોલવાળા) તરફથી ઉદાર આર્થિક સહાય પ્રાપ્ત થયેલ છે.

      લોહાણા સમાજના ગૌરવસમા ‘‘અભિષેક હોસ્પિટલ અેન્ડ હાર્ટ સેન્ટર’’ ના કર્તા હર્તા એવા બાકરોલવાળા કુટુંબના ડૉ. જયેશભાઇ ઠક્કર તથા 
ડૉ. ધવલભાઇ ઠક્કર(USA)ના માતૃશ્રી રંજનબેન નટવરલાલના હસ્તે નોંધપાત્ર આર્થિક સહયોગ મળેલ છે. જેનો ઉપયોગ દાતાકુટુંબની ઇચ્છાનુસાર શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવશે. 

      (૧)
શ્રી હસમુખલાલ વૈકુંઠલાલ ઠક્કર (ચંદન ટી વાળા), (૨)શ્રી હમુખભાઇ માણેકલાલ ઠક્કર (નડીયાદવાળા), અને (૩)શ્રી શૈલેષભાઇ ડાહ્યાલાલ ઠક્કર (ડાહ્યાલાલ વકીલ કુટુંબ-રઘુવંશી સોસાયટી) તરફથી નોંધપાત્ર અાર્થિક સહયોગ મળેલ છે. જ બદલ દાતોઓનો આભાર માનવામાં આવે છે.