Thursday, December 8, 2016

Assistance Form Purvinbhai R Thakkar



ઓ મૂરખ મન,
કરી લે કીર્તન,
તું નામ હરીનું ઘૂંટી લે,
હરીનામ તણું સાચું નાણું,
તું ભાવ ધરીને લૂંટી લે,
ઓ મૂરખ મન...

સેવા કરવી તો જનસેવા,
ને સ્મરણ હરીનું સાચુ છે..
(રાગઃચંદન સા બદન, ચંચલ ચિતવન,- સરસ્વતીચંદ્ર)


પ્રાતઃસ્મરણીય શ્રી બિંદુ ભગતજીના ભજનની એક રચનાના આ શબ્દો છે..કેવી ઉમદા વાત! 

હે જીવ, તું હરીનામ તણું સાચુ નાણું લૂંટી લે..
અને જો સેવા કરવી હોય તો, સાચી સેવા, તે જન સેવા છે...



હરીનામનું નાણું લૂંટી લેવા મનમાં પ્રભુ માટેનો કોઇક ભાવ ધારણ કરીને ભગવાનના નામની લૂંટ ચલાવવાની...

ભક્તિભાવ જેમના જીવનમાં ઉતરી ગયેલો છે એવા શ્રી રણછોડોભાઇ પૂંજાભાઇ ઠક્કર, એકદમ ઓલીયો જીવ. જ્યાં જ્યાં સત્સંગ હોય ત્યાં પહોંચી જાય. સત્સંગમાં જાય અને સભામંડપ ભરેલો હોય અને બેસવાની જગ્યા દેખાતી ના હોય તો ? શરમાળ કહો કે પછી અત્યંત નમ્ર અને વિવેકી સ્વભાવ કહો, પણ રણછોડભાઇ સભામંડપની બહાર તેમની સાયકલને સ્ટેન્ડ ઉપર ચઢાવી ઉભા રહી જાય. હાઇટ પર્યાપ્ત એટલે, એક પગ ઢીંચણમાંથી વાળીને સાયકલના કેરીયર ઉપર ટેકા માટે મૂકે. તપ કરતાં ધ્રુવજી જોઇ લો! એક પગે ઉભા રહીને અત્યંત એકાગ્રતાથી વક્તાની વહેતી વાણીને સભામંડપની બહાર મન ભરીને સાંભળે. કપડા એકદમ સાદા. તેમની પ્રકૃતિનો નીચોડ એટલે આડંબરનો સદંતર અભાવ. આવા રણછોડભાઇને જોતાં, પાનબાઇના ભજનનો સાર સાકાર થતો લાગે ‘‘..ભક્તિ રે કરવી તેને રાંક થઇને રહેવું...મેલવું અંતરનું અભિમાન રે..’’ 

એક બાજુ આવા સરળ રણછોડભાઇને જોઇએ. ત્યારે બીજી બાજુ, સત્સંગના સ્થાને ભરી સભાની વચ્ચે મહારાજાની અદાથી સડસડાટ ચાલ્યા જતા શ્રોતાઓ કો‘ક વાર જોવામાં આવે છે!! અત્યંત આત્મવિશ્વાસથી ભરેલા ડગથી અને આજુબાજુના માહોલની પરવા ના કરવા જેટલા તેઓ બહાદુર લાગતા હોય છે !!

શ્રી રણછોડભાઇ એટલે સહીયારૂ અભિયાન સાથે ઉદાર સહાયક તરીકે સંકળાયેલા, શ્રી પૂર્વીનભાઇના પિતાશ્રી. ભક્તિ અને સેવાના ગુણો પૂર્વીનભાઇમાં ય ઉતરેલા છે. બસ, બીજી કોઇ જ દખલગીરી કે આડંબર નહીં. બસ એક ઉદાર અને સાચા સહાયક. 

શ્રી પૂર્વીનભાઇનો જન્મ દિવસ ૭ મી ડીસેમ્બ્બર છે. જન્મદિવસ ઉજવવાની બધાની પોત-પોતાની રીત અને પસંદગી હોય છે. શ્રી પૂર્વીનભાઇએ સ્થાપેલ અને વિકસાવેલ વ્યવસાય કોઇ વારસાગત કે પૈતૃક બિઝનેસ નથી. તેમની આગવી સૂઝ અને ખંતથી નવા ક્ષેત્રો અત્યંત મહેનત કરીને તેમણે સર કરેલા છે. અલબત્ત, સરળતા-સહૃદયતા અને આડંબરનો સદંતર અભાવ જેવા કર્મજ્ઞાનના નક્કર પૈતૃક ગુણો તો પૂર્વીનભાઇને વારસામાં મળેલા છે. 

અગાઉના વર્ષની પરંપરા જાળવવાની સાથે શ્રી પૂર્વીનભાઇ તરફથી ૫૦ વર્ષ થવા નિમિત્તે સહીયારૂ અભિયાનને કીટ વિતરણમાં સિંહફાળા સમાન સહયોગ મળેલ છે. સંસ્થા પૂર્વીનભાઇનો આભાર માને છે..

પૂર્વીનભાઇને તેમના જન્મદિવસ નિમિત્તે સહીયારૂ અભિયાન પ્રગતિમય જીવન અને વધુ સારા આરોગ્યની શુભેચ્છા પાઠવે છે. 




Thursday, September 22, 2016

તબીબી સહાય - તપાસ અને સારવાર




પહેલું સુખ તે જાતે નર્યા..


આજના સમયમાં આ કહેવતની જાળવણી કરવા માટે માત્ર સારૂ આરોગ્ય જ પર્યાપ્ત નથી. કારણ કે રોગ કે બિમારીના અનેક કારણો હોઇ શકે છે. આજે પણ માનવી દૈવ ઉપર જ આધારીત છે, તેમ કહેવામાં આવે તો ખોટુ ના પણ ઠરે.  



સારો પાક લેવા માટે જંતુનાશક દવાઓ અને કેમીકલના ઉપયોગો વધ્યા છે અને તેનાથી પણ કેટલાક રોગો થઇ શકે છે. માત્ર વ્યક્તિની ટેવો કે જીવનશૈલીથી જ માણસ બિમાર પડેે, એવું ના પણ હોઇ શકે.

પ્રદૂષણને લઇને પણ કેટલીક વ્યક્તિઓ રોગોનો ભોગ બને છે.

જિંદગીમાં ક્યારેય તમાકુનું સેવન નહીં કરનારને પણ કેન્સર થતાં જોવા મળે છે.

ગઇકાલની તબીબી તપાસણીનો સારો રીપોર્ટ આવ્યો હોય અને તરત પછીના બીજે જ દિવસે અગમ્ય કારણોસર એ જ રીપોર્ટ ખરાબ આવી શકે છે. 

આજે હવે તો, ઘણી વ્યક્તિઓ અને ખાસ કરીને બાળકોના શરીરની કોષિકાઓ અને કેટલાક બેક્ટેરીયા એન્ટીબાયોટીકને પોઝીટીવલી પ્રત્યાઘાત ના આપે, એવું પણ બની શકે છે. એટલે કે, બિમારીમાં એન્ટીબાયોટીક દવા બિનઅસરકાર બની જાય અને વ્યક્તિ કે બાળકની જીવનલીલા સંકેલાઇ પણ જાય. 

સમજી શકાય તેવી અને ન સમજી શકાય તેવી અનેક જટીલતાઓથી ભરેલા કારણોસર, આજના સમયમાં, પહેલાં કરતાં આરોગ્ય મહત્વનું બનતું જાય છે.

સાથે સાથે, તબીબી ક્ષેત્ર 
અસાધારણ મોંઘુદાટ, વ્યવસાયલક્ષી અને કોર્પોરેટ કલ્ચરનું બની ગયું છે. સીધા જ જીવંત વ્યક્તિઓના કિંમતી જીવન સાથે જ નિસ્બત ધરાવતા તબીબી ક્ષેત્રમાં અન્ય વ્યવસાય કરતા સંવેદનશીલતા અનિવાર્ય કહેવાય, તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય. પરંતુ, સામાન્ય છાપ એવી છે કે, આવા અતિ મહત્વના ક્ષેત્રમાંથી સંવેદનશીલતા ઓછી થઇ રહી છે; એવી જનરલ પ્રકારની વાતો સાંભળીએ છીએ.

ત્યારે, સહીયારૂ અભિયાનની ટીમના ડૉક્ટરો દ્વારા ઉપર દર્શાવેલ સરનામે દર મહિનાના છેલ્લા રવીવારે દાક્તરી સહાય (તપાસ અને સારવાર) પૂરી પાડવામાં આવશે. સહીયારૂ અભિયાન તેના મૂળભુત હેતુઓ તરફ સૌના સહકારથી આગળ વધી રહેલ છે, તેની નોંધ લેતાંં 
ટીમના સર્વે આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ દિશામાં સૌનો સહકાર અપેક્ષિત છે. આપના કિંમતી સૂચનો અને પ્રતિભાવ અમારા માટે ઉપયોગી પુરવાર થશે.  

Tuesday, September 6, 2016

સંસ્થાને ઉદાર સહાયનો પ્રવાહ...

સંસ્થાની પ્રવૃત્તિને વેગ આપવા મળેલી ઉદાર નાણાંકીય સહાય..
  • દર માસે નિયમિત સ્વરૂપે મળતી દાનની રકમના દાતાઃ 
હસમુખભાઇ ઠક્કર, (ચંદન ટી વાળા) 
  • તાજેતરમાં મળેલી નાણાંકીય સહાય.
(૧) નૈનેશભાઇ મધુસૂદનભાઇ ઠક્કર 
(૨) વિરેશભાઇ નટવરલાલ ઠક્કર


DONATION TO THIS INSTITUTION IS EXEMPTED UNDER INCOME TAX ACT.

તારીખઃ૧/૦૪/૨૦૧૦ પછી સહીયારૂ અભિયાનનેઆપવામાં આવેલ દાન

આવકવેરા કાયદાની જોગવાઇઓ(u/s 80G(5) of I.T.Act,1961) હેઠળ

મુક્તિને પાત્ર બને છે. આપનો ઉદાર સહયોગ આ સંસ્થાને આપી આ

અભિયાનમાં આપ સહભાગી બની શકો છો. ચેક/ડ્રાફ્ટ/ ‘Sahiyaaru

Abhiyaan’ ના નામે લખવા વિનંતી.

Friday, July 1, 2016

કેળવણી સંસ્કૃતીનો પાયો છે..

વર્ષ ૨૦૧૬-૧૭ માટે શૈક્ષણિક સહાય..


STUDENT'S NAME
STD
FESS
DHRAUV KETAN BHAI THAKKAR
1
2100
PRACHI MOHITBHAI THAKKAR
1
2700
JHANVI BHAVESHBHAI THAKKAR
2
2750
NANDISH NARESHBHAI THAKKAR
2
5500
PARITA AMITKUMAR THAKKAR
2
4200
HETAVIBEN PARESHBHAI THAKKAR
2
2600
HEERBEN YAGENESHBHAI THAKKAR
2
4640
SHLOAK JASVANTBHAI THAKKAR
2
2750
GRISHMABEN ALPESHBHAI THAKKAR
3
4480
TUSHAR JIGNESHBHAI THAKKAR
3
2800
PARTH NIRAVBHAI THAKKAR
3
3200
MEET BHAVESHBHAI THAKKAR
4
2750
RIYA ALPESHBHAI THAKKAR
5
4480
KUSHI JIGNESHBHAI THAKKAR
5
2800
HARDIK NIRAVBHAI THAKKAR
5
3200
MAHI VIMALBHAI THAKKAR
5
2030
AKSHAT JASVANTBHAI THAKKAR
5
2750
DHRVUTAL PARBHUBHAI VASVA
5
2100
KUSHAL DIPAKBHAI THAKKAR
6
2080
OM RAJAYESHBHAI THAKKAR
6
4760
AYUSHI JIGNESHBHAI THAKKAR
6
3920
HITARTH AMITBHAI THAKKAR
6
2000
MOKSHARTH JANAKBHAI THAKKAR
6
6300
JANKI BHARTBHAI THAKKAR
7
900
PRACHI PARESHBHAI THAKKAR
7
2160
DHRUV ARVINDBHAI THAKKAR
7
3780
RIYA NIRAVBHAI THAKKAR
7
4200
AESHA CHIRAGBHAI YTHAKKAR
7
4480
SMIT YOGESHBHAI THAKKAR
7
4640
AESHA KETANBHAI THAKKAR
7
2100
DHWANIT HARSHADBHAI THAKKAR
8
2720
HIMALI ALPESHBHAI THAKKAR
8
4640
JEJAS SURESHBHAI THAKKAR
8
4640
KATHAN NIKUNJBHAI THAKKAR
8
4500
MEHUL RAJUBHAL RAVAL
8
2100
BHAGYESH RAJESHBHAI THAKKAR
8
2000
HIRAL PARESHBHAI THAKKAR
8
4500
KISHAN APURVABHAI THAKKAR
9
480
PARTHAM PRKAESHBHAI THAKKAR
9
1480
BHUMI ARVINDBHAI THAKKAR
9
560
RIDDHI JAYESHBHAI THAKKAR
9
1480
RUTVIK BHARATBHAI THAKKAR
9
850
BHUMI VASUDEVBHAI THAKKAR
9
1200
RIYA DHARMENDRABHAI THAKKAR
9
540
HET KIRITBHAI THAKKAR
9
1660
APEKESHA JAGDISHBHAI THAKKAR
10
1940
SHWETA NILESHBHAI THAKKAR
10
650
MEGHA KETANBHAI THAKKAR
11
4000
DHWANI KIRITBHAI THAKKAR
11
1920
DHRUVI PARESHBHAI THAKKAR
11
3840
KRISHNA PRAKASHBHAI THAKKAR
11
1600
SHREYA APURVABHAI THAKKAR
12
6000
RIYA HARSHADBHAI THAKKAR
12
1720
ANJALI CHNDRAKANTBHAI THAKKAR
12
1420
PARTH DIPAKBHAI JANI
12
5200
NIRAV DIPAKBHAI THAKKAR
12
2600
DHRUMIL KALPESHBHAI THAKKAR
12
820
JAY DHARMENDRABHAI THAKKAR
12
770





164,980



 Assistance Received from Jan Mangal Trust.


DHARNIK GIRISHBHAI THAKKAR
7
6050
JUHI UMESHBHAI THAKKAR
8
6600
NACHIKET JANAKBHAI THAKKAR
11
6000
CHANDER LALITBHAI THAKKAR
12
4000





22650