Friday, November 20, 2015

ઉદાર સખાવત..


Purvinbhai Ranchhodbhai Thakkar


જાહેર સેવાકીય કાર્યમાં જોતરાયેલ કોઇપણ વ્યક્તિ કે સંસ્થા સૌના સાથ વગર હેતુ પાર પાડી શકે નહીં....

કારણ કે, સમગ્ર જગત, જગતના વ્યક્તિઓ, જગતના પદર્થો, સજીવ અને નિર્જીવ સહીત બધા એક ગુપ્ત અને સુપ્ત સાંકળોથી સંકળાયેલ અને જકડાયેલ છે.

અને જનહિતાર્થેની સેવા, એ બીજુ કશું નથી, બસ બિનસ્વાર્થી સ્નેહ..

અને પ્રેમ એ જ ઇશ્વર..

એવા એક કડી સમાન શ્રી પૂર્વીનભાઇ રણછોડભાઇ ઠક્કર તરફથી તેમના જન્મદિવસ નિમિત્તે ડીસેમ્બર-૨૦૧૫ ના કીટ વિતરણમાં સિંહફાળા સમાન સહયોગ મળેલ છે. સહીયારૂ અભિયાન પૂર્વીનભાઇનો આભાર માને છે..

જન્મદિવસ એ એક વિશિષ્ઠ દિન હોય છે જ્યારે આ દુનિયામાં માનવ થઇને આવવાના એ ખાસ દિવસની યાદ તાજી કરાવે છે. શ્રી પૂર્વીનભાઇને તેમના જન્મદિવસ નિમિત્તે સહીયારૂ અભિયાન સંસ્થા સારા આરોગ્ય અને પ્રગતિમય જીવનની શુભેચ્છાઓ પાઠવે છે.